Dr. Ambedkar Awas Yojana 2024/25 : મિત્રો આજે હું તમને જણાવવા જઈ રહ્યો છું ડૉ. આંબેડકર આવાસ યોજના વિશે. આમ તો આપણું ગુજરાત સમૃદ્ધ ગુજરાત છે. એક સમૃદ્ધ રાજ્ય છે પરંતુ આપણા ગુજરાતમાં પણ ઘણા કુટુંબો ઘર વિહોણા છે. તેમજ ઘણા કુટુંબોનને રહેવા માટે પાક્કા મકાનો પણ નથી. એટલા માટે આપણી રાજ્ય સરકારે અનુસૂચિત જાતિના લોકો ને પાક્કા મકાન આપવા માટે એક યોજના બહાર પાડી છે. તેનું નામ આંબેડકર આવાસ યોજના છે. આ યોજના અંતર્ગત ઘર બનાવવા માટે કુટુંબદીઠ 1,20,000રૂ. ની સહાય આપવામાં આવે છે. આ સહાય કુલ ત્રણ હપ્તામાં આપવામાં આવતી હોય છે. આ યોજના ઘર વિહોણા કુટુંબો માટે તો આશીર્વાદરૂપ નીવડે છે. હવે આપણે જાણીશું ડૉ. આંબેડકર આવાસ યોજના નું ફોર્મ કેવી રીતે ભરવું, ડોક્યુમેન્ટ કયા કયા જરૂરી છે અને અરજી માટેની પ્રક્રિયા કઈ છે.
Dr. Ambedkar Awas Yojana 2024/25 – વિગતવાર
યોજનાનું નામ | ડૉ. આંબેડકર આવાસ યોજના |
કોને શરૂ કરી | ગુજરાત સરકાર દ્વારા |
વિભાગ | સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ |
લાભાર્થી | અનુસૂચિત જાતિના લોકો |
મળવાપાત્ર સહાય | રૂ.1,20,000 રૂપિયા સુધીની સહાય |
Dr. Ambedkar Awas Yojana વિશે અન્ય માહિતી
અનુસૂચિત જાતિના નબળી આર્થિક સ્થિતિ ધરાવતા અને ખાસ કરીને ગરીબી રેખા નીચે જીવતા ઘરવિહોણા લોકોને સમયબદ્ધ કાર્યક્રમ રૂપે તબક્કાવાર આવાસો પૂરો પાડવાનો છે. તેમજ ઘર વિહોણા અને ખુલ્લો પ્લોટ ધરાવતા લોકોને સરકાર પાકું ઘર બાંધવા માટે કુલ 1,20,000 ની સહાય આપવામાં આવે છે.આ સહાય કુલ 3 હપ્તામાં ચૂકવામાં આવતી હોય છે. આ યોજના માં પ્રથમ હપ્તો 40,000 નો બીજો હપ્તો 60,000 નો તેમજ ત્રીજો હપ્તો 20,000 નો આપવામાં આવે છે.આમ કુલ 1,20,000 આપવામાં આવે છે.
યોજનાનો હેતુ
અનુસૂચિત જાતિના નબળી આર્થિક સ્થિતિ ધરાવતા અને ખાસ કરીને ગરીબી રેખા નીચે જીવતા ઘરવિહોણા લોકોને સમયબદ્ધ કાર્યક્રમ રૂપે તબક્કાવાર આવાસો પૂરો પાડવાનો છે. તેમજ ઘર વિહોણા અને ખુલ્લો પ્લોટ ધરાવતા લોકોને સરકાર પાકું ઘર બાંધવા માટે કુલ 1,20,000 ની સહાય આપવામાં આવે છે.આ સહાય કુલ 3 હપ્તામાં ચૂકવામાં આવતી હોય છે. આ યોજના માં પ્રથમ હપ્તો 40,000 નો બીજો હપ્તો 60,000 નો તેમજ ત્રીજો હપ્તો ૨૦,૦૦૦ નો આપવામાં આવે છે.આમ કુલ 1,20,000 આપવામાં આવે છે.
યોજનાનો લાભ લેવા માટેની પાત્રતા
- આંબેડકર આવાસ યોજનાનો લાભ મેળવવા માટેઅરજદાર ગુજરાતનો રહેવાસી હોવો જોઈએ.
- અરજદાર ની ઉંમર ઓછામાં ઓછી ૨૧ વર્ષની હોવી જોઈએ.
- અરજદારે પોતાના પ્રમાણપત્રો મુજબ અરજી માં નામ અને વ્યક્તિગત માહિતી
લખવાની રહેશે. - જો લાભાર્થી એ અગાઉ આ પ્રકારની યોજના નો લાભ લીધેલ હશે તો અરજી નામંજૂર કરવામાં આવશે.
- આવાસ સહાય નો બીજો હપ્તો મળ્યાબાદ લાભાર્થીએ આવાસ નું કામ એક વર્ષમાં પૂર્ણ કરવાનું રહેશે.
- આ યોજનાનો લાભ ફક્ત અનુસૂચિત જાતિના નબળી આર્થિક સ્થિતિ ધરાવતા વ્યક્તિ લઈ શકે.
- ગ્રામ્ય વિસ્તારમાં વાર્ષિક આવક રૂ.600,000 અને શહેરી વિસ્તારમાં વાર્ષિક આવક રૂ.600,000 થી વધુ ન હોવી જોઇએ.
- અરજી ઓનલાઈન થયા બાદ અરજીની બે નકલો અરજદારે જિલ્લા પંચાયત માં જમા કરાવવાની રહેશે.
- જયારે ઘર સંપૂર્ણ રીતે બની જાય ત્યાર પછી ફરજિયાતપણે આંબેડકર આવાસ યોજના ની તકતી લગાવવાની રહેશે.
યોજના હેઠળ મળવાપાત્ર લાભ
- ઘર બાંધવા માટે કુલ 1,20,000 ની સહાય મળવાપાત્ર થશે.
- આ રકમ કુલ ત્રણ હપ્તામાં ચૂકવામાં આવશે.
- આ યોજના હેઠળ લાભાર્થી ને પોતાનું પાક્કું ઘર મળશે.
- પ્રથમ હપ્તો 40,000 નો બીજો હપ્તો 60,000 નો અને ત્રીજો હપ્તો 20,000 નો ચૂકવામાં આવશે.
- પહેલા 40,000 ત્યાર પછી 60,000 અને લાસ્ટ માં 20,000 એમ આપવામાં આવે છે.
- તે પૈકી પ્રથમ હપ્તો વહીવટી મંજૂરી ના હુકમ સાથે, ત્યાર પછી બીજો હપ્તો લિન્ટલ લેવલ પહોંચ્યા બાદ અને ત્રીજો હપ્તો શૌચાલય સહિત નું કામ પૂર્ણ થાય ત્યારે આપવામાં આવે છે.
આવશ્યક દસ્તાવેજ
- અરજદાર નું આધાર કાર્ડ હોવું જોઈએ.
- આવકનું પ્રમાણપત્ર જરૂરી છે.
- રેશનકાર્ડ જોઈએ.
- જાતિનો દાખલો હોવો જરૂરી છે.
- રહેઠાણનો પુરાવો (વીજળી બિલ/ડ્રાઇવિંગ લાઇસન્સ/ભાડાકરાર,ચૂંટણી કાર્ડ/રેશન
કાર્ડ) પૈકી કોઈપણ એક. - જમીન માલિકીનો પુરાવો
- બેન્ક પાસબુક હોવી જરૂરી છે.
- પતિના મરણ નો દાખલો (જો વિધવા હોય તો)
- જે જમીન પર મકાન બાંધવાનું હોય તે જમીન ના ક્ષેત્રફ્ળ દર્શાવતા નકશા ની નકલ
મકાન બાંધકામ ચિઠ્ઠી - સ્વ ઘોષણા પત્ર
- જે જગ્યાએ મકાન બાંધકામ કરવાનું હોય તે ખુલ્લો પ્લોટ / જર્જરિત મકાન નો ફોટો
અરજી કઈ રીતે કરવી
- સૌપ્રથમ ફોર્મ ભરવા માટે https://esamajkalyan.gujarat.gov.in વેબસાઈટ ખોલો.
- ત્યાર પછી “New Registration” પર ક્લિક કરીને નવું એકાઉન્ટ બનાવવાનું છે.
બધી જ માહિતી ભરીને સબમીટ કરી દેવાનું છે. - ત્યાર પછી તમારા મોબાઈલ માં Id અને પાસવર્ડ આવશે તેનાથી લોગીન કરવાનું રહેશે.
- લોગીન કર્યા પછી બધી યોજનાઓ ખુલશે તેમાંથી આંબેડકર આવાસ યોજના પર ક્લિક કરવાનું રહેશે.
- ત્યાર પછી તમારી બધી માહિતી ભરવાની રહેશે.
- માહિતી ભર્યા પછી ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે.
- ડોક્યુમેન્ટ અપલોડ કર્યા પછી લાસ્ટ માં અરજી સેવ કરી લેવાની રહેશે.
- અરજી સેવ કર્યા પછી અરજી સબમિટ કરવાની છે.
- અરજી સબમિટ કરશો એટલે તમારા મોબાઈલ માં અરજી નંબર આવી જશે.
- ત્યાર પછી અરજીની પ્રિન્ટ કરી લેવાની રહેશે.
મહત્વપૂર્ણ લિંક
સત્તાવાર સાઈટ | અહી ક્લિક કરો |
ઓનલાઈન અરજી | અહી ક્લિક કરો |
આવી અન્ય માહિતી માટે | અહી ક્લિક કરો |
Home Page | અહી ક્લિક કરો |
નિષ્કર્ષ
જો આપને અમારા આ આર્ટીકલની માહિતી પસંદ આવી હોય તો આપ અમારા WhatsApp Group અને Telegram Group ને Join કરી અન્ય ભરતી, યોજના તેમજ અન્ય માહિતી મેળવી શકો છો અને તમારા અન્ય મિત્રો સાથે આ માહિતી Share કરવાનું ભુલતા નહિ, આભાર.
નોંધ : અમારા લેખ માં જો ક્યાંક ભૂલ રઈ ગઈ હોય તો અમને જરૂર જણાવજો અને સત્તાવાર સાઈટ પર જઈ પુરતી માહિતી મેળવી લેવા વિનંતી.