Ghar Ghanti Sahay Yojana 2024 | ઘરઘંટી માટે સહાય રકમ : ઘરઘંટી સહાય યોજના 2024 ગુજરાત સરકાર ગુજરાતના નાગરિકોના નવા વ્યવસાયો શરૂ કરવામાં અથવા વર્તમાન સાહસોમાં મદદરૂપ થવા માટે ઘણી બધી યોજનાઓ જાહેર કરતી રહે છે. આવી જ રીતે ગુજરાત સરકારના માનવ કલ્યાણ વિભાગ દર વર્ષની જેમ આ વર્ષે પણ ટૂલ કીટ સહાય યોજના રજૂ કરી છે. આગળના વર્ષની જેમ આ વર્ષે પણ 27 અલગ-અલગ ધંધાઓ માટે સરકાર દ્વારા ટૂલ કીટ સહાય યોજના શરૂ કરવામાં આવી છે. આજે આપણે આ યોજના નો ઉદ્દેશ, આ યોજનાના ફાયદા અને વિશેષતા, યોજના નો લાભ લેવા માટેની પાત્રતા, જરૂરી ડોક્યુમેન્ટ અને આ યોજના માટે કેવી રીતે અરજી કરવી? આ બધા વિશે આપણે આ આર્ટિકલ દ્વારા વિગતવાર માહિતી મેળવીશું.
આ ઘરઘંટી ની સહાય યોજના ખરેખર માનવ કલ્યાણ વિભાગ દ્વારા બહાર જાહેર કરાયેલી ટૂલ કીટ સહાય યોજના ની અંદર સમાવેશ થાય છે. આ ટુલકીટ યોજના ગુજરાત સરકાર તરફથી ગરીબી રેખા નીચે જીવતા વ્યક્તિઓના અથવા કારીગર ના વિવિધ ઉદ્યમને પ્રોત્સાહન માટે રચના કરવામાં આવી છે. ધંધાના પ્રકાર મુજબ ગુજરાત સરકાર તરફથી આ યોજના હેઠળ ધંધાના વિવિધ સાધન સામગ્રી લેવા માટે આર્થિક સહાય અલગ અલગ માત્રામાં અપાય છે. જે નીચે મુજબ છે.આ ઘરઘંટી સહાય યોજના પણ આ 28 અલગ અલગ દર્શાવેલ ધંધા માંથી એક છે. તેમજ આ યોજના ઘરેલુ સહાયની પણ જોગવાઈ આપે છે.
Ghar Ghanti Sahay Yojana 2024 – વિગતવાર
યોજનાનું નામ | ઘરઘંટી સહાય યોજના |
લાભાર્થી | ગરીબી રેખા હેઠળના કુટુંબોની મહિલાઓ |
મળવાપાત્ર સહાય | ઘંટી ની કિંમતના 50% અથવા રૂ. 2000, જે ઓછું હોય તે |
ઉદ્દેશ્ય | ઘરમાં અનાજ દળવાની સુવિધા, સમય અને શ્રમની બચત |
મર્યાદા | એક કુટુંબને માત્ર એક વખત લાભ |
ઘરઘંટી સહાય યોજના 2024 વિશે અન્ય માહિતી
અનાજ દળવા માટે દરેક લોકોને ઘરઘંટીની જરૂર પડે છે. પરંતુ ગરીબી રેખા નીચે જીવતા લોકો પાસે પૈસાની કમી હોવાના લીધે તેઓ ઘરઘંટી ખરીદી શકતા નથી. આવા જરૂરિયાતમંદો માટે ખાસ ઘરઘંટી સહાય યોજના બનાવવામાં આવી છે. ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ આ યોજનાનો મુખ્ય હેતુ ગરીબ મહિલાઓને રોજગારી આપવાનો છે. ઘરઘંટી દ્વારા એ અનાજ દળીને પોતાના કુટુંબનું ભરણ પોષણ કરી શકે છે. જે લોકોની ઉમર 16 થી 60 વર્ષ જેટલી હશે અને તેઓ બીપીએલ કાર્ડ ધરાવતા હશે તો તેમને ઘરઘંટી સહાય યોજનાનો લાભ મળવાપાત્ર છે. શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં રહેતા બંને પ્રકારના લોકો આ યોજનાનો લાભ લઇ શકે છે. આત્મનિર્ભરતા અને રોજગારી માટે આ એક ઉત્તમ અને લાભકારી યોજના છે.
દેશમાં બેરોજગારીની સમસ્યા દિવસે ને દિવસે વધતી જઈ રહી છે. જેના કારણે ગરીબી અને મોંઘવારી પણ વધે છે. આની અસર સહુથી વધારે આર્થિક રીતે પછાત વર્ગને થાય છે.આ વાતને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકાર દ્વારા ઘરઘંટી સહાય યોજના શરૂ કરવામાં આવી છે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશય એ જ છે કે આના દ્વારા ગરીબોને રોજગારીની તકો પુરી પાડવી. આ યોજના દ્વારા નાણાકીય સહાય અથવા ઘરઘંટી મળી શકે છે. જેના દ્વારા અનાજ દળવાનું કામ ખુબ જ સરળતાથી થઇ શકે છે. આમાં લાભાર્થીને અન્ય જરૂરી સામગ્રી પણ ફાળવવામાં આવે છે.સહાય યોજના માનવ કલ્યાણ યોજનાના અંતર્ગત શરૂ કરવામાં આવી છે. ગરીબોને પોતાની બેરોજગારી દૂર કરી સ્વ-રોજગાર મેળવવાની આમાં સોનેરી તક છે.
ઘરઘંટી સહાય યોજનાનો ઉદ્દેશ્ય
ગુજરાત સરકારે રાજ્યમાં યોગ્યતા ધરાવતા નાગરિકોને ઘરઘંટી સહાય આપવાના લક્ષ્યથી ઘરઘંટી સહાય યોજનાનો કાર્યક્રમ શરૂ કરાયું છે. આ યોજના થકી બેરોજગાર ગુજરાતના નાગરિકોને પોતાનો વ્યવસાય સ્થાપવા અથવા જેમની પાસે પહેલેથી જ કોઈ ઉદ્યમ છે તેને આર્થિક રીતે મદદ પૂરી પાડવા માટે આ યોજના બનાવવામાં આવી છે.
ઘરઘંટી સહાય યોજનાની વિશેષતાઓ
- ગુજરાત સરકારની ઘરઘંટી સહાય યોજના દ્વારા ગરીબ પરિવારોને એક ઉત્તમ અને સારી જીવનશૈલી પ્રદાન કરે છે.
- આ સહાય યોજનાની ખાસિયત એ છે કે આ યોજનાની અરજી ઘર બેઠા ઇલેક્ટ્રોનિક માધ્યમ દ્વારા ઓનલાઈન અરજી કરી શકો છો.
- આ યોજના ની અરજી કરવા માટે કોઈપણ પ્રકારની ઓનલાઈન ફીની ચૂકવણી કરવી પડતી નથી.
- જો તમે આ સહાય યોજના માટે યોગ્યતા ધરાવવો છો તો સરકાર તરફથી રોકડ ચુકવણી ₹15,000 અથવા આ સહાય યોજના દ્વારા ઘરઘંટી આપવામાં આવે છે.
- ગુજરાત સરકારના આ પ્રકારના પ્રયાસ થકી ગુજરાતની ગરીબી રેખા નીચે જીવતા નાગરિકોને સારું જીવન પ્રદાન કરવા માટે એક સારો પ્રયાસ છે.
ઘરઘંટી સહાય યોજનાની પાત્રતા
- આ યોજનામાં ભાગ લેવા માટે ગુજરાતનો નાગરિકતા ધરાવતા ગુજરાતના રહેવાસી અરજી કરી શકે છે.
- ઘરઘંટી સહાય યોજનાની પાત્રતા મેળવવા માટે અરજદાર ની ઉંમર 16 થી 60 વર્ષની હોવી જરૂરી છે.
- જો અરજદાર વ્યક્તિ ગ્રામ્ય ક્ષેત્રમાં રહેતો હોય તો, અરજદારની વાર્ષિક આવક 1,20,000 થી વધુ ન હોવી જોઈએ.
- જો અરજદાર વ્યક્તિ શહેરી વિસ્તારમાં રહેતો હોય તો અરજદારની વાર્ષિક આવક ₹1,50,000 થી વધુ ન હોવી જોઈએ.
- અરજદાર પાસે ગરીબી રેખા ના વર્ગમાં સમાવેશ કરતું બીપીએલ (BPL) એટલે કે રેશનકાર્ડ હોવું જરૂરી છે.
- તેમજ ગરીબી રેખા ના વર્ગમાં 0 થી 16 વચ્ચે ક્રમાંક ધરાવતા હોય એવા અરજદાર આવકના પુરાવા માંથી મુક્તિ આપવામાં આવે છે.
- જો અરજદારે પાછળના વર્ષમાં અરજી કરી હોય પરંતુ ડ્રોમાં પસંદગી થઈ ન હોય તો તેને આગળ પણ પસંદગી કરવામાં આવશે નહીં.
- આ યોજનાનો દાવો માત્ર અરજદારના પરિવારના એક જ સભ્ય દ્વારા કરી શકાય છે.
આવશ્યક દસ્તાવેજ
- અનાજ દળવાની તાલીમનું પ્રમાણપત્ર
- ચૂંટણી કાર્ડની નકલ
- રેશન કાર્ડની નકલ
- જાતિ પ્રમાણપત્રની નકલ
- આવકના દાખલાની નકલ
- બીપીએલ સ્કોર
- ગોલ્ડ કાર્ડ
- સ્ત્રી વિધવા હોય તો વિધવા પ્રમાણપત્ર
- દિવ્યાંગ હોય તો તેનો તબીબી પુરાવો
- રહેણાંકનો પુરાવો
- શિક્ષણના પ્રમાણપત્રો
- જન્મનું પ્રમાણપત્ર
ઓફલાઈન અરજી કઈ રીતે કરવી
- તમારા સ્થાનિક તાલુકા પંચાયત કચેરી અથવા નગરપાલિકા કચેરીમાંથી અરજી ફોર્મ મેળવો.
- કેટલીક જગ્યાએ ઓનલાઈન ફોર્મ પણ ઉપલબ્ધ હોઈ શકે છે.
- ફોર્મમાં માંગેલી તમામ માહિતી સંપૂર્ણ અને સાચી ભરો.
- તમારું નામ, સરનામું, મોબાઈલ નંબર, બેંક એકાઉન્ટની વિગતો વગેરે આપો.
- જરૂરી દસ્તાવેજો સાથે જોડવા
- ભરેલું ફોર્મ અને જરૂરી દસ્તાવેજો સાથે તમારી સ્થાનિક તાલુકા પંચાયત કચેરી અથવા નગરપાલિકા કચેરીમાં જમા કરાવો.
- અરજી જમા કરાવ્યા બાદ રસીદ મેળવી લો, અને આને સાચવીને પોતાની પાસે રાખો.
- તમારી અરજીની સ્થિતિ જાણવા માટે સમયાંતરે સંબંધિત કચેરીનો સંપર્ક કરો.
- જો કોઈ વધારાની માહિતી કે દસ્તાવેજની જરૂર હોય તો તે પૂરા પાડો.
- અરજી મંજૂર થયા બાદ, સરકાર માન્ય વિક્રેતા પાસેથી ઘંટી ખરીદો.
- ખરીદીનું બિલ સંબંધિત કચેરીમાં જમા કરાવો.
- બિલ જમા કરાવ્યા બાદ, સહાયની રકમ તમારા બેંક ખાતામાં સીધી જમા થશે.
- યોજના હેઠળ મળેલી નાણાંકીય રકમ દ્વારા તમે ઘરઘંટી ખરીદી શકો છો.
ઓનલાઈન અરજી કઈ રીતે કરવી
હવે મોટાભાગની યોજનાઓના ફોર્મ ઓનલાઇન જ ભરાય છે. આ માટે તમે જાતે કોમ્પ્યુટરમાં અથવા સાયબર કેફેમાં જઈ ફોર્મ ભરાવી શકો છો. આ માટેની સચોટ પ્રક્રિયા અહીં રજૂ કરેલ છે.
- શરૂઆત માટે e-kutir.gujarat.gov.in વેબસાઇટ ખોલો.
- મુખ્ય પૃષ્ઠ પર, “કુટીર અને ગ્રામીણ ઉદ્યોગ કમિશનર” વિભાગ શોધો અને તેના પર ક્લિક કરો.
- ત્યાંથી, “માનવ કલ્યાણ યોજના” નામનો વિકલ્પ પસંદ કરો.
- હવે તમને અરજી ફોર્મ દેખાશે.
- ફોર્મમાં માંગવામાં આવેલી તમામ વિગતો કાળજીપૂર્વક ભરો.
- તમામ જરૂરી દસ્તાવેજો સ્કેન કરીને અપલોડ કરો.
- બધી માહિતી ચકાસ્યા પછી, “સબમિટ” બટન દબાવો.
- આ પ્રક્રિયા પૂર્ણ થતાં, તમારી અરજી સફળતાપૂર્વક નોંધાઈ જશે.
મહત્વપૂર્ણ લિંક
સત્તાવાર સાઈટ | અહી ક્લિક કરો |
અન્ય માહિતી | અહી ક્લિક કરો |
Home Page | અહી ક્લિક કરો |
નિષ્કર્ષ
જો આપને અમારા આ આર્ટીકલની માહિતી પસંદ આવી હોય તો આપ અમારા WhatsApp Group અને Telegram Group ને Join કરી અન્ય ભરતી, યોજના તેમજ અન્ય માહિતી મેળવી શકો છો અને તમારા અન્ય મિત્રો સાથે આ માહિતી Share કરવાનું ભુલતા નહિ, આભાર.