List Of Indian States And their Capitals : ભારતના રાજ્યો અને રાજધાની: તમે બધા આપણા ભારત દેશ વિશે તો જાણતા જ હશો કે તે વિશ્વનો સાતમા નંબરનો સૌથી મોટો દેશ અને વસ્તીની દ્રષ્ટિએ વિશ્વમાં સૌથી પ્રથમ નંબરનો દેશ કહેવામાં આવે છે આપણો ભારત દેશ એશિયામાં આવેલો છે કે જે સત્તાવાર રીતે ભારતીય ભારતીય પ્રજાસત્તાક પણ કહેવામાં આવે છે આપણા ભારત દેશમાં કુલ અઠયાવીસ રાજ્યો અને આઠ કેન્દ્રશાસિત પ્રદેશો આવેલા છે તો ચાલો આપણે બધા જાણીએ આપણા 28 રાજ્યો અને આઠ કેન્દ્રશાસિત પ્રદેશો વિશે.
List Of Indian States And their Capitals | ભારતના રાજ્યો અને રાજધાની વિશે માહિતી
ભારત દેશમાં ઘણા બધા એવા લોકો પણ છે કે જે ભારત દેશના રાજ્યો રાજધાની અને કેન્દ્રશાસિત પ્રદેશો વિશે પણ જાણતા હોતા નથી તો ચાલો આપણે બધા મળીને આજે આપણા ભારત દેશના રાજ્યો રાજધાની અને કેન્દ્રશાસિત પ્રદેશો વિશેની માહિતી મેળવીએ.
ભારતના 28 રાજ્યો ના નામ અને રાજધાની ના નામ
આપણે ભારત દેશની રાજધાની દિલ્હીને ગણવામાં આવે છે.
રાજ્યોના નામ
- આંધ્ર પ્રદેશ
- અરુણાચલ પ્રદેશ
- આસામ
- બિહાર
- છત્તીસગઢ
- ગોવા
- ગુજરાત
- હરયાણા
- હિમાચલ પ્રદેશ
- ઝારખંડ
- કર્ણાટક
- કેરળ
- મધ્યપ્રદેશ
- મહારાષ્ટ્ર
- મણિપુર
- મેઘાલય
- મિઝોરમ
- નાગાલેંડ
- ઓડિશા
- પંજાબ
- રાજસ્થાન
- સિક્કિમ
- તમિલનાડુ
- તેલંગાણા
- ત્રિપુરા
- ઉતરપ્રદેશ
- ઉતરાખંડ
- પશ્ચિમ બંગાળ
બધા રાજ્યોની અલગ અલગ રાજધાનીઓ
- આંધ્ર પ્રદેશ – અમરાવતી
- અરુણાચલ પ્રદેશ – ઇટાનગર
- આસામ – ડિસ્પુર
- બિહાર – પટના
- છત્તીસગઢ – રાયપુર
- ગોવા – પણજી
- ગુજરાત – ગાંધીનગર
- હરિયાણા – ચંડીગઢ
- હિમાચલ પ્રદેશ – શિમલા
- ઝારખંડ – રાંચી
- કર્ણાટક – બેંગલોર
- કેરળ – થીરુવંથપુરમ
- મધ્યપ્રદેશ – ભોપાલ
- મહારાષ્ટ્ર – મુંબઈ
- મણિપુર – ઇમ્ફાલ
- મેઘાલય – શિલોંગ
- મિઝોરમ – આઇઝોલ
- નાગાલેંડ – કોહિમા
- ઓડિશા – ભુવનેશ્વર
- પંજાબ – ચંડીગઢ
- રાજસ્થાન – જયપુર
- સિક્કિમ – ગંગટોક
- તમિલનાડુ – ચેન્નાઈ
- તેલંગાણા – હૈદરાબાદ
- ત્રિપુરા – અગરતલા
- ઉતરપ્રદેશ – લખનૌ
- ઉતરાખંડ – દહેરાદૂન/ગૈરસૈન
- પશ્ચિમ બંગાળ – કોલકાતા
ભારત દેશના કેન્દ્રશાસિત પ્રદેશો
અંદામાન અને નિકોબાર ટાપુઓ, ચંડીગઢ, દાદરા અને નગર હવેલી, દમણ અને દીવ, દિલ્હી, જમ્મુ અને કાશ્મીર, લદ્દાખ, લક્ષદ્વીપ, પુડુચેરી વગેરે આ બધા પ્રદેશોને કેન્દ્રશાસિત પ્રદેશો તરીકે ગણવામાં આવે છે.
અંદામાન અને નિકોબાર ટાપુઓ | પોર્ટ બ્લેર |
ચંડીગઢ | ચંડીગઢ |
દાદરા અને નગર હવેલી, દમણ અને દીવ | દમણ |
દિલ્હી | નવી દિલ્હી |
લદ્દાખ | લેહ, કારગિલ |
જમ્મુ અને કાશ્મીર | શ્રીનગર, જમ્મુ |
લક્ષદ્વીપ | કાવારત્તી |
પુડુચેરી | પુડુચેરી |
ભારતના નકશામાં રાજ્યો ના નામ અને રાજધાની ના નામ

થોડું અન્ય જાણવા જેવું
1956 પહેલાં
ભારતીય ઉપખંડ પર તેના ઇતિહાસમાં ઘણા અલગ અલગ શાસકોએ રાજ્ય કર્યું છે. દરેક રાજકર્તાએ પોતાની રીતે વહિવટી વિભાગો પાડેલ હતા. આધુનિક ભારતનાં હાલનાં વિભાગો તેનાં સર્વાંગી વિકાસને ધ્યાનમાં રાખી અને કરાયેલ છે. જેની શરૂઆત બ્રિટિશ શાસનકાળથી થયેલ. બ્રિટિશ ભારતમાં હાલનું ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ, તથા અફઘાનિસ્તાન અને તેનાં પ્રાંતો, બર્મા (મ્યાનમાર)ની વસાહતો વિગેરેનો સમાવેશ થાય છે. આ સમય દરમિયાન,ભારતનું શાસન સીધું અંગ્રેજોનાં કે પછી સ્થાનિક રાજાઓનાં હાથમાં હતું. ૧૯૪૭ માં આઝાદી વખતે પંજાબ તથા બંગાળનાં પ્રાંતોનું, ભારત અને પાકિસ્તાન વચ્ચે મોટાપાયે વિભાજન થયું,અને તે દરમિયાન તેમનાં વહિવટી વિભાગોને સુરક્ષિત રાખવાનું તથા ઘણાં બધાં રજવાડાંઓને ભારતસંઘમાં ભેળવવાનું, એ નવા રાષ્ટ્ર માટે પડકાર રૂપ કાર્ય હતું.
જો કે સ્વતંત્રતા બાદ તુરંત ભારતમાં અસ્થિર પરિસ્થિતીઓ ઉત્પન્ન થઇ. બ્રિટિશરો દ્વારા રચાયેલાં ઘણાં પ્રાંતો તેમનાં ઉપનિવેશીય હેતુ માટેનાં હતાં,અને તે ભારતીયોની ઇચ્છાનું પ્રતિબિંબ પાડતાં નહોતાં કે ન તો તે જાતીય કે ભાષાકીય રીતે અનુકુળ હતાં. આ જાતીય અને ભાષાકીય તણાવને કારણે ભારતની સંસદને ૧૯૫૬માં રાજ્ય પુનર્ગઠન અધિનિયમ બનાવી અને નવેસરથી જાતીય અને ભાષાકીય ધોરણે રાજ્યોની રચના કરવાનું કારણ મળ્યું.
સ્વતંત્રતા પ્રાપ્તિ બાદ બ્રિટીશ પ્રાંતો તથા દેશી રાજ્યોને એકીકૃત કરીને ભારતમાં રાજ્યોને ચાર શ્રેણીમાં વિભાજીત કરાયા હતા.
1956 પછી
૨૭ નવેમ્બર ૧૯૪૭ ના રોજ સંવિધાન સભાના અધ્યક્ષ ડૉ. રાજેન્દ્રપ્રસાદએ અલ્હાબાદ ઉચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશ એસ.કે.દરની અધ્યક્ષતામાં ચાર સભ્યોના એક આયોગની રચના કરી. આયોગે તેનો રિપોર્ટ ડિસેમ્બર ૧૯૪૮માં સુપ્રત કર્યો. રિપોર્ટમાં જણાવાયું કે રાજ્યોના ગઠનનો આધાર ભાષાકીય ન હોવો જોઈએ. રાજ્યોના ગઠનનો આધાર ભૌગોલિક રચના, આર્થિક નિર્ભરતા, પ્રશાસનિક સુગમતા અને વિકાસની ક્ષમતા પર હોવો જોઈએ. ત્યારબાદ ૨૨ ડિસેમ્બર ૧૯૫૩ના રોજ ભારતના સર્વોચ્ચ ન્યાયાલયના પૂર્વ ન્યાયાધીશ ફજલ અલીની અધ્યક્ષતામાં ત્રણ સભ્યોના રાજ્ય પુનર્ગઠન આયોગની રચના કરવામાં આવી. પંડિત એચ.એન.કુંજરૂ અને સરદાર કે.એમ.પાણિક્કર તેના સભ્યો હતા. આયોગે ૩૦ ડિસેમ્બર ૧૯૫૫માં સુપ્રત કરેલા તેના રિપોર્ટમાં જણાવ્યું કે ચાર શ્રેણીમાં વિભાજીત રાજ્યોને વિભાજીત કરી તેમાથી ૧૬ નવાં રાજ્યો તથા ૩ કેન્દ્રશાસિત પ્રદેશોનું નિર્માણ કરવું જોઈએ. આયોગની ભલામણોનો સ્વીકાર કરીને ૧૯૫૬માં રાજ્ય પુનર્ગઠન અધિનિયમ, ૧૯૫૬ પસાર કરવામાં આવ્યો. આ અધિનિયમ અંતર્ગત ભારતમાં ૧૪ રાજ્યો અને ૫ કેન્દ્રશાસિત પ્રદેશોની રચના કરવામાં આવી. આ ચૌદ રાજ્યોમાં મધ્યપ્રદેશ, મદ્રાસ, મૈસૂર, આંધ્ર પ્રદેશ, અસમ, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, બિહાર, મુંબઈ, જમ્મુ-કાશ્મિર, કેરળ, પશ્ચિમ બંગાળ, ઉડિસા તથા પંજાબ તથા કેન્દ્રશાસિત પ્રદેશોમાં હિમાચલ પ્રદેશ, દિલ્હી, ત્રિપુરા, મણિપુર અને અંડમાન નિકોબાર દ્વીપસમૂહનો સમાવેશ થાય છે.
મહત્વપૂર્ણ લિંક
અન્ય કેટલીક માહિતી માટે | અહી ક્લિક કરો |
Home Page | અહી ક્લિક કરો |
નિષ્કર્ષ
જો આપને અમારા આ આર્ટીકલની માહિતી પસંદ આવી હોય તો આપ અમારા WhatsApp Group અને Telegram Group ને Join કરી અન્ય ભરતી, યોજના તેમજ અન્ય માહિતી મેળવી શકો છો અને તમારા અન્ય મિત્રો સાથે આ માહિતી Share કરવાનું ભુલતા નહિ, આભાર.
નોંધ : અમારા લેખ માં જો ક્યાંક ભૂલ રઈ ગઈ હોય તો અમને જરૂર જણાવજો અને સત્તાવાર સાઈટ પર જઈ પુરતી માહિતી મેળવી લેવા વિનંતી.